રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી આજે તા.ર૬ ને મંગળવારે સાંજે પ વાગ્યાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના ચીફ એનાલીસ્ટ તરીકે પ્રદેશ ભાજપના આગેવાન નીતીનભાઇ ભારદ્વાર, જાણીતા નિકાસકાર અને ઉઘોગપતિ તથા શહેર ભાજપના સક્રિય આગેવાન અનીમેષભાઇ રૂપાણી, ઇન્ડિયન મેડીકલ એસો.ના રાષ્ટ્રીય કક્ષાના ઉપાઘ્યક્ષ ડો.અતુલ પંડયા તથા વિશ્વકક્ષાના જાણીતા ઉઘોગકાર જયોતિ C.N.C. ના સી.એમ.ડી. પરાક્રમસિંહજી જાડેજા આ અભિયાન અંગે માર્ગદર્શન આપી લોકોને જાગૃત કરવા માહિતી પ્રદાન કરનાર છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ